રાજકોટ
News of Friday, 25th September 2020

સામાકાંઠે કોર્પોરેટર બાદ ભાજપનાં કાર્યકરોએ પણ પંજાનો ખેસ ધારણ કર્યો

કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયાની આગેવાનીમાં વોર્ડ નં. પ નાં મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસ પક્ષમાં જોડાયા

રાજકોટ તા. રપઃ તાજેતરમાં ભાજપમાંથી કોંગ્રેસ પક્ષમાં જોડાયેલ કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયાની આગેવાની હેઠળ વોર્ડ નં. પ માં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે.

આ અંગે કોંગ્રેસની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરનાં સામા કાંઠેના વોર્ડ નં. પ ના ભાજપના કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા એ પક્ષમાં જુથવાદથી કંટાળીને રાજીનામું આપી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે તા. રર ના રોજ સાંજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ વોર્ડ નં. પ ની મીટીંગ સદગુરૂ જયોત કોમ્પ્લેક્ષમાં પેડક રોડ પર સાંજે પ-૦૦ વાગ્યે યોજાય હતી ત્યારે દક્ષાબેન ભેસાણીયાની આગેવાનીમાં અને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, ગાયત્રીબા વાઘેલા, વશરામભાઇ સાગઠીયા અને મહેશભાઇ રાજપૂત, ભરતભાઇ મકવાણા અને તુષારભાઇ નંદાણીની ઉપસ્થિતિમાં રમેશભાઇ લીંબાસીયા, વિજયભાઇ લીંબાસીયા, વિજયભાઇ અજાણી, મહેશભાઇ જીન્જુવાડીયા, જયદીપભાઇ મકવાણા, ભગવાનજીભાઇ વેકરીયા, શારદાબેન જીન્જુવાડીયા અને શારદાબેન પીપળીયા સહિતના શહેર ભાજપનાં જુથવાદથી કંટાળીને આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કોંગ્રેસ જોડાયા હતા. તેવું રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રી ગોપાલભાઇ મોરવાડિયાની યાદીમાં જણાવાયું છે.

(3:42 pm IST)