રાજકોટ
News of Friday, 25th September 2020

રાજકોટનાં નારાયણનગર, મોટામૌવા, મુંજકાના વિસ્તારોમાં કાલથી ચાર દિવસ ટેન્કર મારફત પાણી વિતરણ

કણકોટ – સીન્ધાવદર હેડ વર્કસ ખાતે રીપેરીંગ કામગીરીનાં કારણે પાણી વિતરણ પર અસર: મ્યુનિ.કોર્પરેશનનાં વોટર વર્કસ વિભાગની સતાવાર જાહેરાત

રાજકોટ: ગુજરાત વોટર ઇંફ્રાસ્ટ્રક્સ્ચર લી. (GWIL) દ્વારા તા: ૨૬  થી ૩૦ સપ્ટેમ્બર સુધી કણકોટ – સીન્ધાવદર હેડ વર્કસ ખાતે રીપેરીંગ કામો સબબ શટડાઉન લેવામાં આવેલછે, આથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નર્મદા પાઇપલાઇન પ્રોજેક્ટ હેઠળનાં અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કોઠારીયા ખાતેના ફીલ્ટર પ્લાંન્ટ પરથી પાણી મેળવતા નારાયણનગર, મોટામૌવા, મુંજકાના સમ્બધિત વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવ્સ્થા પ્રભાવીત થશે, અસરગ્રસ્ત વિસ્તારોમા વૈકલ્પીક વ્યવસ્થા તરીકે વોટર ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવશે. 

(7:06 pm IST)