રાજકોટ
News of Tuesday, 26th January 2021

સુત્રાપાડા પંથકના મહિલાનું દાઝી જવાથી મોત

રાજકોટઃ સુત્રાપાડા ગીર તાબેના વડોદરા ઝાલા ગામે રહેતાં જશીબેન માનસીંગભાઇ વાણવી (ઉ.વ.૩૭)નું દાઝી જતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. જશીબેન સંક્રાંતના દિવસે સવારે અગિયારેક વાગ્યે રસોઇ બનાવતાં હતાં ત્યારે ભડકો થતાં દાઝી જતાં વેરાવળ, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ સોમવારે રાતે મોત નિપજ્યું હતું.

રાજકોટમાં બેભાન હાલતમાં બે વ્યક્તિના મોત

રાજકોટઃ જામનગર રોડ દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે મનહરપુર-૧માં રહેતો મુકેશભાઇ જયંતિભાઇ સિતાપરા (ઉ.વ.૩૨) તથા ગંજીવાડા મહાકાળી ચોક શેરી નં. ૪૦માં રહેતાં ધીરૂભાઇ મેપાભાઇ સાપરા (ઉ.વ.૪૫) બિમારીને કારણે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ બંનેના મોત નિપજ્યા હતાં.

(12:20 pm IST)