રાજકોટ
News of Monday, 26th October 2020

આયુવેદ હોસ્પિટલમાં વિનામૂલ્યે પ્રસુતિ સેવા

રાજકોટ : રાજકોટ જીલ્લાના કસ્તુરબાધામ સ્થિત પી.જે. માંગરોલીયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત 'ગ્લોબલ આયુર્વેદ હોસ્પિટલ'ના સ્ત્રીરોગ અને પ્રસુતિ તંત્ર વિભાગ હેઠળ ડો.શીતલ જોષી પાસે નિયમીત રૂપે બતાવ્યા બાદ આ નવરાત્રીના પાવન પર્વ દરમ્યાન લક્ષ્મીજીના અવતાર રૂપે એક તંદુરસ્ત બાળકીનો જન્મ થયેલ છે. આ પ્રસુતિ સંપૂર્ણ વિનામૂલ્યે કરવામાં આવેલ. આ પ્રસુતિના કામ દરમ્યાન સ્ટાફે ડો.મેહુલ જોશીની આગેવાની હેઠળ જેહમત ઉઠાવી તે દરેકનો સંસ્થાના ટ્રસ્ટીઓ રણછોડભાઇ માન્ગ્રોલિયા તેમજ સિધ્ધાર્થભાઇ મહેતાએ આભાર વ્યકત કરેલ. સંસ્થાના પ્રિન્સીપાલ/ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.મીતા મશરૂએ દરેકને અભિનંદન પાઠવેલ.

(3:41 pm IST)