રાજકોટ
News of Saturday, 27th February 2021

જીએસટી સંબંધેના પ્રશ્નો અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ચીફ કમિશ્નરને રજુઆત

રાજકોટ તા. ૨૭ : જીએસટીને લગતા પ્રશ્નો સંદર્ભે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ટીમે સીજીએસટી ચીફ કમિશ્નર શ્રીમતી સીમા અરોરાની રૂબરૂ મુલાકાત લઇ રજુઆતો કરી હતી.

જીએસટી એકટમાં ટેક્ષ પેયરની સલામતિ માટે ચુસ્ત પ્રાવધાન કરવા તેમજ માલ પરિવહન કરતા વાહનોના ઇ-વે બીલમાં રહેતી નાની અમથી ચુકમાં પણ અટકાયતી પગલા લેવાય છે તે હળવા કરવા, રીફંડના કિસ્સાઓમાં પડતર અપીલોનો ત્વરીત નિકાલ કરવા સહીતના મુદ્દાઓ પર ધ્યાન દોરવામાં આવ્યુ હતુ.

તસ્વીરમાં સીજીએસટી કમિશ્નર સીમા અરોરા સમક્ષ લેખિત રજુઆત કરતા રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી. પી. વૈષ્ણવ અને ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા નજરે પડે છે.

(3:52 pm IST)