રાજકોટ
News of Tuesday, 27th October 2020

જુનાગઢની મહિલાનું ઝેરી દવા પીવાથી રાજકોટ સારવારમાં મોત

આપઘાત પાછળનું કારણ અકળ

જુનાગઢ તા. ર૭: જુનાગઢની એક મહિલાનું ઝેરી દવા પીવાથી રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ થયું હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢનાં જોશીપરામાં આવેલ રાધારમણ સોસાયટીમાં રહેતાં કામીનીબેન રાજેશભાઇ કરગથરા (ઉ.વ. ૪૦) નામની પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી લેતા તેને રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ જયાં તેણીનું સારવાર દરમ્યાન મોત થતાં અરેરાટી સાથે ગમગીની વ્યાપી ગઇ હતી.

મરનાર મહિલાનાં આપઘાત પાછળનું કારણ બહાર આવેલ નથી. વિશેષ તપાસ બી ઠડીવીઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી. એસ. બાબરીયા ચલાવી રહ્યા છે.

(2:34 pm IST)