રાજકોટ
News of Tuesday, 27th October 2020

કરણી સેના ક્ષત્રાણી પાંખ દ્વારા 'નારી શસ્ત્ર પૂજન'

દશેરા નિમિતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની ક્ષત્રાણી પાંખ દ્વારા રાજકોટ ખાતે પ્રથમ વખત 'નારી શસ્ત્ર પૂજન' નો કાર્યક્રમ આયોજીત કરાયો હતો. નયનાબા જાડેજા તથા મનીષાબા વાળાના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રોકત અને સાંસ્કૃતિક રીતના આકાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડો. ગીતાબા ગીડા (ઓલ ઇન્ડિયા રેડીયો ગેઝેટેડ ઓફીસર) ઉપસ્થિત રહ્યા હતા. બહોળી સંખ્યામાં નારી શકિત ક્ષત્રાણીઓએ ભાગ લીધો હતો. તે સમયની તસ્વીરો નજરે પડે છે.

(2:37 pm IST)