જૈનમ્ ગ્રુપ દ્વારા મીઠાઇ વિતરણ
સ્લમ વિસ્તારના જરૂરતમંદ લોકો પણ દશેરા મનાવી શકે તેવા શુભ આશયથી જૈનમ્ ગ્રુપ દ્વારા યુનિ.રોડ, રૈયા રોડ, ૧૫૦ ફુટ રીંગરોડ તથા ન્યારી ડેમ આસપાસની ઝુપડપટ્ટી તથા લક્ષ્મીનગર, લોહાનગર સહીતના વિસ્તારોમાં મીઠાઇના અંદાજીત ૧ હજાર પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. સ્વ. તુષારભાઇ હસમુખભાઇ ધ્રુવના સ્મરણાર્થે હસ્તે સુજીતભાઇ ઉદાણી, સ્વ. બાબુલાલજી બામનમલજી ગાંધીના સ્મરાણાર્થે હસ્તે જીતુભાઇ મારવાડી તેમજ રાકેશભાઇ મારવાડી તેમજ તપસ્વી સ્કુલ પરિવારના નિલેશભાઇ દેસાઇ તથા અમિષભાઇ દેસાઇ દ્વારા આ મીઠાઇનું વિતરણ કરાયુ હતુ. વિતરણ કાર્યમાં અમિત દોશી, જીજ્ઞેશ મહેતા, મૌલિક મહેતા, વૈભવ સંઘવી, મેહુલ શાહ, મેહુલ બાવીશી, નિપૂર્ણ દોશી, અર્હમ દોશી, દેવના દોશી, કેલ્વીન રાછડીયા, આશીષ શાહ, આકાશ ભાલાણી, રૂષિ વસા, શૈલેન શાહ, જયેશ વસા, પ્રિતી વસા, માનવ મારવાડી વગેરે સાથે જોડાયા હતા.