કાલે શનિવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ધ્યાનોત્સવ
શરદ પૂનમ તથા પોરબંદરના સ્વ. અનુમતીબેન (મા અંતર પ્રેમ) ના જન્મ દિવસ નિમિતે : સરકારી નિયમને આધીન યોજાશે
રાજકોટ : આવતીકાલે તા. ૩૧ ને શનીવારના રોજ શરદ પૂનમ તથા સ્વ. અનુમતીબેનના જન્મ દિવસ નિમિતે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે સાંજના ૬.૪પ થી ૭.૪પ દરમ્યાન શરદ પૂનમ ઉત્સવ તથા સ્વ. અનુમતીબેનના જન્મ દિવસ નિમિતે પ્રમાં જબી નો કાર્યક્રમ ઓશો પરિવાર દ્વારા રાખવામાં આવ્યો છે.
સ્વ. અનુમતીબેનનું જીવન ઝરમર
રાજકોટના શિક્ષણ શાસ્ત્રી શ્રી ગીજુભાઇ ભરાડના બહેન તેમજ પોરબંદર ગોઢાણીયા કોલેજના નિવૃત પ્રિન્સીપાલ ઘનશ્યામ મહેતા ધર્મપત્ની સ્વ. અનુમતીબેન મહેતા (મા અંતર પ્રેમ) ઓશોની વિચારધારાનો પુસ્તકો, મેગેઝીન દ્વારા અવીતર પ્રચાર, પ્રસાર કાર્યો તેમજ પોરબંદરના સાન્દીપની વિદ્યા નિકેતનપ, સત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ, સંસ્કૃતિ પરિવાર, સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ વગેરે અનેક સામાજીક સંસ્થાઓમાં આજીવન સેવાઓ પ્રદાન કરેલ.
એક ઉચ્ચા સાધિકા હોવાની સાથે સમાજના પછાત ઝૂંપડપટ્ટીનાં બાળકોનાં સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેલ. એમનો ૩૧ ઓકટોબરના જન્મ દિવસ હોય ઓશો પરિવાર દ્વારા તેમને પ્રમાં જવી અર્પણ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર રાજકોટ સાથે અતૂટ નાતો હતો. ર૬ વર્ષ પહેલા ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર દ્વારા પ્રદર્શન કરેલ ત્યારે સતત હાજરી આપી ત્રણ દિવસ ઓશો પ્રદર્શન મા ઓશો કાર્યમાં સહયોગી બન્યા હતાં.
સ્થળ :- ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદર ઓવરબ્રીજ પાસે, ૪ વૈદવાડી ડી-માર્ટની પાછળની શેરી રાજકોટ, વિશેષ માહિતી :- સ્વામી સત્ય પ્રકાશ મો. ૯૪ર૭ર પ૪ર૭૬, સંજીવ રાઠોડ મો. ૯૮ર૪૮ ૮૬૦૭૦