Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

જામનગરના રણજીતસાગર રોડ પર નદી કિનારે યુવક-યુવતીનો સજોડે આપઘાત

ઝાડ પર લટકીને અનિલ ધુલિયાભાઈ નામના 21 વર્ષીય યુવાન અને કમાબેન ગુડડું ભાઈ ભુરિયા નામની યુવતીએ સજોડે આપઘાત કર્યો

જામનગરના રણજીતસાગર રોડ પર નદી કિનારે યુવક-યુવતીએ સજોડે આપઘાત કરી લીધાની ઘટના છે સામે આવી છે. કિર્તી પાન નજીક આશીર્વાદ-2 નજીક આવેલ રોયલ સ્કૂલ પાસેના શુભમ એપાર્ટમેન્ટ-3ની પાછળ નદીના કાંઠે ઝાડ પર લટકીને  અનિલ ધુલિયાભાઈ નામના 21 વર્ષીય યુવાન અને કમાબેન ગુડડું ભાઈ ભુરિયા નામની યુવતીએ સજોડે આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે

 . આ ઘટનાને પગલે 108ની ટીમે ઘટના સ્થળે દોડી જઈને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. અને આપઘાત કરવા પાછળનું કારણ કયું છે. તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.(તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર

(8:48 pm IST)