Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ભાવનગર જીલ્લા જેલના કેદીના અંતિમ સંસ્કાર જેલર તથા સ્ટાફે કર્યા

ભાવનગર :  જીલ્લાના જેલનાં કાચા કામના આરોપીને એટેકનો હુમલો આવતા વધુ સારવાર માટે ભાવનગર સર.ટી. હોસ્પીટલ ખાતે દાખલ કરાયા હતા. જયાં સારવાર દરમિયાન કેદીનું મરણ થયું હતું. જે જેલ પ્રશાસન દ્વારા મૃતકના સગા-સબંધીને પાળિયાદ ખાતે જાણ કરી મૃતદેહ સોંપેલ. બનાવની કરૂણતાએ છે કે મૃતકના પરિવારજનોની આર્થિક સ્થીતી અત્યંત નબળી હોવાથી મૃતકના અંતિમ સંસ્કાર કરવાના પણ પૈસા ન હોય જે અંગેની જાણ ભાવનગર જીલ્લા જેલના જેલર આર.બી. મકવાણાને થતા, સિપાઇ અલ્ફાઝભાઇ શેખ, હનીફભાઇ શેખ, એમ.આઇ.સોલંકી વગેરેએ જહેમત ઉઠાવી કેદીના સગાને સાથે રાખી કેદીની શાસ્ત્રોકત વિધીથી અંતિમ વિધી પુર્ણ કરી મનાવતા અને કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડેલ છે.

(11:15 am IST)