Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

મોરબીના કોંગ્રેસ આગેવાનો દ્વારા અહેમદભાઇને શ્રધ્ધાંજલી

 મોરબી :પીરામણ ગામે (અંકલેશ્વર) ખાતે સ્વ. અહેમદભાઈ પટેલની પ્રાર્થના સભામાં મોરબી જિલ્લાના આગેવાનોએ આજે ઉપસ્થિત રહીને સદગતને શ્રદ્ઘાંજલિ પાઠવી હતી. મોરબી કોંગ્રેસના અગ્રણીઓએ સ્વ. અહમદભાઈ પટેલના પુત્ર ફેજલભાઈ પટેલ અને મુમતાજબેન પટેલને રૂબરૂ મળી હાજરી આપી દુઃખ વ્યકત કર્યું હતું. આ પ્રાર્થના સભામાં ધારાસભ્ય લલીતભાઈ કગથરા, જયંતીભાઈ પટેલ, લખમણભાઇ કંઝારિયા, રમેશભાઈ રબારી સહિતના અગ્રણીઓ હાજર રહેલ હતા. શ્રધ્ધાંજલી અર્પવામાં આવી તે તસ્વીર.

(9:25 am IST)