Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

જૂનાગઢમાં પૂ. ઇન્દ્રભારતીબાપુ મેયર સહિતના આગેવાનોએ વેકસીનનો ડોઝ લીધો

જૂનાગઢ : મહાનગરપાલિકા દ્વારા એમ.એ.આઇ હોલ ગાંધીગ્રામ ખાતે ૬૦ વર્ષથી ઉપરના લોકોને કોરોના વેકસીનો પ્રથમ ડોઝ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં ઉપરોકત તસ્વીરમાં કોરોનાની વેકસીન લેતા પૂ. ઇન્દ્રભારતીબાપુ મેયર ધીરૂભાઇ ગોહેલ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચા, શશીકાન્તભાઇ ભીમાણી સહિતના નજરે પડે છે. પૂ. ઇન્દ્રભારતીબાપુએ જણાવ્યુ હતુ કે આજે મે પણ કોરોનાની રસી લીધેલ છે. લોકોએ કોઇ પણ પ્રકારની અફવામાં દોરાયા વગર આ રસીનો ડોઝ લેવો આ રસીની કોઇ આડઅસર પણ થતી નથી. લોકોએ ડરવાની જરૂર નથી. હું આપ સૌને વિનંતી કરૂ છું. આ રસી લઇ આપ પણ સુરક્ષિત થાવ આ તકે આગેવાનોએ પણ સૌને રસીકરણ કરાવવા અપીલ કરી હતી. (અહેવાલ : વિનુ જોષી તસ્વીર : મુકેશ વાઘેલા)

(1:17 pm IST)