Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

રાપરમાં ધારાશાસ્ત્રી મહેશ્વરીની હત્યા કેસમાં મદદગારી કરનારના ૫મી સુધી રિમાન્ડ મંજૂર

રિમાન્ડ દરમ્યાન ઉંડાણપૂર્વક પુછપરછ: તમામ શખ્સો વિરૂદ્ધ પણ પુરાવા મેળવવા વધુ તપાસ પ્રગતિમાં

રાપર : રાપરના ધારાશાસ્ત્રી દેવજીભાઇ વાછીયાભાઇ મહેશ્વરીની કરાયેલી હત્યામાં મુખ્ય આરોપીને નાસવામાં મદદગારી કરનાર શખ્સ મહેશ ભોજાભાઇ પટેલની ધરપકડ કરાયા બાદ કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરાયો હતો. ત્યારે આંજારના નામદાર અધિક સેશન્સ જજે આરોપીના આગામી ૫મી ઓક્ટોબર સુધીના રીમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમ્યાન ઉંડાણપૂર્વક પુછપરછ હાથ ધરાઈ છે. રાઉન્ડ કરાયેલા તમામ શખ્સો વિરૂદ્ધ પણ પુરાવા મેળવવા વધુ તપાસ પ્રગતિમાં છે. રેન્જ આઈજીપી જે.આર.મોથલીયાની અધ્યક્ષતામાં રચાયેલી શીટના કન્વીનર તેમજ પૂર્વ કચ્છ એસ.પી મયુર પાટીલના સીધા સુપરવિઝન હેઠળ આ ગુનાની તપાસ ડીવાયએસપી વી.આર. પટેલ તેમજ પાટણના ડીવાયએસપી જે.ટી. સોનારા ચલાવી રહ્યા છે

(9:37 pm IST)