Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

શિહોરના જાળીયા ગામે આર્મીમેનની પત્નિનો આપઘાત : ૨II વર્ષ પહેલા લગ્ન થયેલા

ભાવનગર તા. ૪ : જાળીયા ગામે આર્મીમેનની પત્નીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી છે. મૃતકના અઢી વર્ષ પહેલા લગ્ન થયા હતા.

વિગતો મુજબ સિહોર તાલુકાના જાળીય ગામે રહેતા અને બેંગ્લોરમાં ઇન્ડીયન આર્મીમાં ફરજ બજાવતા દેવેન્દ્રસિંહ ગોહિલના પત્ની કિષ્ણબા (ઉ.વ.૨૪)એ તેના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો. મૃતક કિષ્ણાબેનના અઢી વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને દેવેન્દ્રસિંહ ૧ માસની રજામાં અહીં આવ્યા હતા અને ૧૫ દિવસ પહેલા જ તેઓ ફરજ પર બેંગ્લોર ગયા હતા. આ બનાવ અંગે સિહોર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

મહિલા સહિત ત્રણ જુગાર  રમતા ઝડપાયા

પાલીતાણાના હાથિયાધાર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા યાસ્મિન નસીમ ફકીર, ફિરોઝ બહાદુર સોઢા અને યુનુસ મુસા લાખાણીને પોલીસે રૂ. ૧૦૨૭૦ની રોકડ અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લીધા હતા.

(10:27 am IST)