Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ટંકારા તાલુકામાં રવિવારથી કિસાન સુર્યોદય યોજનાનો પ્રારંભ

૧૩ ગામનાં ૨૨૮૭ ખેડૂતોને દિવસે ખેતીવાડી માટે વિજ પાવર મળશે

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા,તા. ૮: કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ તારીખ ૧૦ના  પાણી પુરવઠા અને પશુપાલન યોજના મંત્રી કુવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે કરાશે. આ પ્રસંગે સંસદ સભ્ય મોહનભાઈ કૂંડારીયા તથા દુર્લભજીભાઈ દેથરીયા તથા આગેવાનો વિગેરે ઉપસ્થિત રહેશે તેમ ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપાએ જણાવેલ છે.

ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપાએ જણાવેલ છે કે કિસાન સૂર્યોદય યોજનાના શુભારંભ નો કાર્યક્રમ તારીખ ૧૦/૧/૨૦૨૧ના રોજ પ્રભુચરણ આશ્રમે બપોરે ત્રણ વાગ્યે યોજાશે.

આ કિસાન સૂર્યોદય યોજનામાં ટંકારા તાલુકાના તેર ગામોના ૨૨૮૭ ખેડૂતોને દિવસના ખેતીવાડીમાં વીજ પાવર મળશે. ટંકારા તાલુકામાં ટંકારા, અમરાપર,ભુત કોટડા, ધ્રોલિયા,હડમતીયા, હીરાપર, જબલપુર, જીવાપર, મીતાણા, નેસડા સુરજી ,સરાયા , ટોળ, અને વિરવાવ સહિત૧૩ ગામના ખેડૂતોને બે શિફ્ટમાં વીજ પાવર અપાશે. સવારે ૫ થી ૧ અને બપોરે ૧ થી ૯ વીજ પુરવઠો અપાશે.

આ કાર્યક્રમમાં પી.જી.વી.સી.એલના કાર્યપાલક ઇજનેર પી.પી. બાવરવા તથા ડી. ઇ.આર.જી .સોજીત્રા સહિત અધિકારીઓ તથા સ્ટાફ ઉપસ્થિત રહેશે.

(10:37 am IST)