Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

જુનાગઢમાં આપાગીગાના ઓટલો ચોટીલા દ્વારા ભવનાથ ખાતે સંતો માટે અન્નક્ષેત્ર શરૂ કરતા પુ. નરેન્દ્રબાપુ

જુનાગઢ : જુનાગઢમાં સંતો માટે પરંપરા જાળવવા શરૂ થયેલ. મહાશિવરાત્રી મેળા  દરમિયાન ભવનાથના લાલસ્વામી આશ્રમની જગ્યા ખાતે પુ. શામજીબાપુ તેમજ પુ.જીવરાજબાપુના આશિર્વાદ અને પ્રેરણાથી પુ. નરેન્દ્રબાપુ દ્વારા જાહેર અન્નક્ષેત્રનો પ્રારંભ કરાવ્યો હતો. ઉપરોકત તસ્વીરમાં ગઇકાલે ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ બાદ આ અન્નક્ષેત્રનો પ્રારંભ થયો ઉપરોકત તસ્વીરમાં આ અન્નક્ષેત્ર ખુલ્લુ મુકી બેઠેલા પુ. નરેન્દ્રબાપુ સતાધારના પુ. વિજયબાપુ લાલસ્વામી આશ્રમના મહંત પુ. હરીગીરીબાપુ તેમજ સંતોને ભોજનપ્રસાદ લીધા બાદ ભેટ પુજા અર્પણ કરતા પુ. નરેન્દ્રબાપુ તથા વિજયબાપુ નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા)

(1:05 pm IST)