Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

માણાવદરમાં તાલુકાનું સંત સંમેલન યોજાયું

માણાવદરમાં તાલુકાનું સંત સંમેલન યોજાયું : શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર મંદિર નિમાર્ણ નિધિ સમપર્ણ અભિયાન ૧૫/૧/૨૦૨૧ થી તા. ર૭/ર/૨૦૨૧ સુધી નિધિ એકત્ર કરવાના આયોજનના ભાગ રૂપે સમગ્ર તાલુકાનું સંત સંમેલન અનુપમ મિશન સ્વામી નારાયણ મંદિરમાં યોજવામાં આવેલ હતું.  આ સંમેલનમાં માણાવદર હળમતાળી હનુમાન મંદિરના મહંત રામદાસ બાપુ, ગણેશ મંદિરના, આનંદદાસ બાપુ, ઇન્દ્રા બાલા હનુમાન આશ્રમના  શિવરાત્રીગીરી માતાજી, ભાલેચાડા પરબની ઝુપડીના મહંતશ્રી બીજલબાપુ, સ્વામી નારાયણ મંદિરના કોઠારી મોહન સ્વામીજી, વગેરે ઉપસ્થિત રહ્યા હતા, આ ઉપરાંત તાલુકાના મંદિરોના પુજારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાલેચડા મંદિરના મહંત સીતારામ બાપુ દ્વારા આ સંમેલનનાં તમામ મહાનુભાવોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતુ.  મહંત શીવરાત્રીગીરી માતાજી તેમજ કોઠારી મોહન સ્વામીજીએ પોતાના વકતવ્યમાં જણાવેલ કે, પ્રભુ શ્રી રામના આ માંગલકારી કાર્યમાં સંતો હંમેશા અગ્રેસર રહ્યા છે. આ બેઠકમાં નિધિ એકત્રિકરણ માટે જીલ્લા અગ્રણી મનોજભાઈ ગોહેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું, સંતોના ચરણે પ્રાર્થના સાથે આભારવિધી નિધિ પ્રમુખ દક્ષેશભાઈ ભોજાણીએ કરી હતી.

(11:41 am IST)