Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

વઢવાણના તાંબા-પિતળના બેડાનો વ્યવહાર નષ્ટ થવાના આરે !

ગુજરાતભરમાં કંસારા બજારની એક આગવી ઓળખ હતી : અગાઉ બે હજાર કારીગરો કામ કરતા હતા, હાલમાં માત્ર ર૦૦

(ફઝલ ચૌહાણ દ્વારા) સુરેન્દ્રનગર તા. ૯ : ગુજરાત ભરમાં સુરેન્દ્રનગર શહેરના વઢવાણની એક આગવી ઓળખ હતી આ ઓળખ નષ્ટ થવાના આરે છે.

વઢવાણમાં તાંબા પિત્ત્।ળની એક અનોખા પ્રકારની એક માર્કેટ હતી અલગ પ્રકારનો જ વ્યવસાય હતો તાંબા પિત્ત્।ળના બેડાના અત્યારે હાલમાં ૨૦૦ કારીગરો રહ્યા છે જયારે પહેલાના સમયમાં ઘડતર અને બેડા નું કામ બે હજાર કારીગરો કરતા હતા.

વઢવાણ એક ઐતિહાસિક ગામ આવેલું છે જયાં આજથી ૫૦ વર્ષ પહેલા આ વઢવાણ નું નામ વર્ધમાન પુરી તરીકે ઓળખવામાં આવતું હતું વઢવાણ એટલે રજવાડી અને રાજાશાહી ગામ છે આ ગામની એક આગવી ઓળખ બની છે ત્યારે હાલમાં ધીરે ધીરે વઢવાણ વિકાસના બદલે ભાંગતું જઈ રહેલું ગામ બની ગયું છે આમ છતાં પણ રાજકીય લોકો વઢવાણ ઉપર મધ મેળવી અને વઢવાણની સીટ ઉપર જીતે છે પરંતુ વઢવાણની કોઈ જ પરવા કરતા નથી ત્યારે આ ઐતિહાસિક નગરી ઉપર વઢવાણ શહેરની ખારવા કોડ વિસ્તાર એટલે જયાંથી ધોળીપોળ વિસ્તારમાં થી તમે પ્રવેશ કરો એકાદ કિ.મીનું અંતર અંતર કાપો એટલે તમને ઠેરઠેર દુકાનો અને ઘરે ઘરે તાંબા પિત્ત્।ળ ના વાસણો કરવા અને કાર્યકરો તમને ઠેરઠેર જોવા મળતા હવે આજના યુગમાં તાંબા પિત્ત્।ળ અને જેના કાચ અને તૈયાર થતો માલ નો ભાવ હાલમાં આસમાને પહોંચી જતા આજના યુગમાં આ તાંબા પિત્ત્।ળ ના બેડલા નું અસ્તિત્વ ખતમ થઈ ગયું આજથી ત્રણ દાયકા પહેલા વઢવાણમાં બે હજાર કારીગરો તાંબા પીતળ ના બેડા બનાવવાની કામગીરી કરતા હતા ત્રણ દાયકા પહેલા આ કારીગરોને રૂપિયા ૭૦૦ થી ૮૦૦ રૂપિયાની મજૂરી સાંજ પડતા મળતી જયારે અત્યારે હાલમાં ૨૦૦ જેટલા કાર્યકરો વઢવાણમાં ઘડતર કામ કરી રહ્યા છે પરંતુ તેમને આ કાર્યમા આજે ૩૦૦ થી ૪૦૦ રૂપિયા સાંજ સુધીમાં મંજુરી મળી રહી છે ત્યારે હાલમાં વઢવાણ શહેર નો તાંબા પિત્ત્।ળ ના બેડલા નો વ્યવસાય પડી ભાંગ્યો  છે.

વઢવાણના કંસારા બજાર તરીકે ઓળખાતી આ બજાર સવારના છ વાગ્યાથી લઈને રાત્રીના ૧૦ ૧૧ ૧૨ વાગ્યા સુધી ભણતર કામ ચાલતું હોય એવી નગરીમાં આજે કંસારા બજાર અને કંસારા ના યુવાનો આ કામ કરવા માટે તૈયાર થતા નથી ત્યારે હાલમાં એક યુવાનોને પૂછપરછ કરવામાં આવતા તેણે જણાવ્યું કે ઘડતર કામમાં ભારે મજૂરી છે અને પૂરતું વળતર પણ મળતું નથી અને સાથોસાથ નવાઈની વાત તો એ છે કે આજે ત્રણસો ચારસો રૂપિયા કમાતા કંસારા યુવાએે કોઈ યુવતી પણ આપતું નથી અત્યારે હાલમાં કંસારા જ્ઞાતિમાં અનેક યુવાનો કંુવારા લગ્ન વગર ના ફરી રહ્યા છે ત્યારે આ ઘરના કામમાં કામ કરી રહેલા કારીગરજણાવ્યું કે હાલમાં એક ઘડવાનો સમય ત્રણ કલાકનો લાગે છે જયારે માટલી બનાવવામાં ચાર કલાક જેવો સમય લાગે છે ત્યારે આખા દિવસમાં બે જોડી માટલી અને ઘોડો તૈયાર થાય છે ત્યારે આની પ્રક્રિયા એવી છે કે ધાતુની પ્લેટ માંથી પતરું કાપી અને તેને તાંબા પીતળ ના બેડે ના કારીગરો આને એક બેડુ પોતાની કલાની કારીગીરી તરીકે કલા ચા પી અને તાંબા પિત્ત્।ળ ના વાસણો અને એક આગવી ઓળખ બનાવી રહ્યા છે.ં જયારે પણ તાંબા પીતળના બેડા તૈયાર થાય છે ત્યારે વઢવાણમાં મહિલાઓને પણ રોજીરોટી મળતી હતી મહિલાઓ દ્વારા આ બેળાને મશીન ઉપર ચડાવી પાલીસ કરવામાં આવતો ત્યારે વઢવાણની કંસારા બજારમાં અંદાજે ૩૦૦ બહેનો રોજીરોટી મેળવતી હતી જયારે વૃદ્ઘ માતા આવો પણ બેડા ને પટ્ટી માંથી કાઢ્યા પછી તેજાબ વળે સાફસૂફી કરવા માટે સો  વૃદ્ઘાઓ પણ કામ કરતી હતી જેમને પણ રોજીરોટી મળી હતી  હાલમાં આ એક ઐતિહાસિક નગરી માં તાંબા પિત્ત્।ળ ના બેડલા નો વ્યવસાય આગામી ૧૦ વર્ષમાં ખતમ થઈ જવાની સંભાવના વર્તાઈ રહી છે કારણકે કળા અને કારીગરી રો સામે વળતરની વાસ્તવિકતા રહી જ નથી ત્યારે લલિત ભાઈ કંસારા જણાવતા હતા કે વઢવાણમાં અંદાજે ૩૦૦થી ૪૦૦ દુકાન ઉપર આ હા રોજગારી પ્રાપ્ત થતી હતી અને વઢવાણમાં જે રાજાશાહીમાં બહુ જ પ્રણાલિકા પામ્યા હતા આજે આ બેડાનો યુગ હવે ધીરે ધીરે આથમી રહ્યો છે અને હવે લોખંડના પતરા ઉપર ડિઝાઇન આપી અને સસ્તા ભાવમાં વેચાતા આવા વાસણો સમય જતા બિન ઉપયોગી બને છે અને ૧૦ રૂપિયે કિલો વેચવા નો સમય આવે છે ત્યારે ઈ-યુગમાં હા તાંબા પિત્ત્।ળ માં આપેલા બેડા નું કરિયાવરમાં આપતા ત્યારે સમય સંજોગો બદલાય તો આ મેળાને કિંમત સારી એવી મળતી હાલમાં અત્યારે તાંબાના ચારથી પાંચ હજાર રૂપિયા થાય છે જયારે પિત્ત્।ળના બેળાના ૨૦૦૦થી વધુ રૂપિયા થાય છે જે લોકોને આજના મોંઘવારીના યુગમાં મોંઘા ગણાય છે ત્યારે વઢવાણનો ઘડતરનો આ યુગ હવે ધીરે-ધીરે ખતમ થવાના આરે આવી રહ્યો છે.

 હાલમાં કંસારા જ્ઞાતિના યુવાનો હવે આયુ ગ છોડી અને નોકરી ઉપર લાગી ગયા છે અને બીજા વ્યવસાયમાં પણ જોડાઈ ગયા છે ત્યારે વઢવાણની કંસારા બજાર નું હવે અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે તેવું જણાવ્યું હતું ત્યારે સરકાર આ કંસારા જ્ઞાતિને કલાની કારીગીરી માં સમાવેશ કરે અને ઉત્સાહિત કરે તો આ વઢવાણ ની કલા જીવંત રહે ખરી એવું હાલમાં ચર્ચાઈ રહ્યું છે.

(11:29 am IST)