Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

માળીયા મિંયાણાના ખાખરેચીમાં પરિણીતાનો ઝેર પી આપઘાત

મુળ છોટાઉદેપુરની નમલી નાયકાનું રાજકોટમાં મોત

રાજકોટ તા. ૯: માળીયા મિંયાણાના ખાખરેચી ગામે સમીરભાઇની વાડીમાં પરિવાર સાથે રહી મજૂરી કરતી નમલીબેન નેવરસિંગ નાયકા (ઉ.વ.૨૦) ત્રણ દિવસ પહેલા વાડીએ કોઇ કારણોસર ઝેરી દવા પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેનું ગત સાંજે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે માળીયા મિંયાણા પોલીસને જાણ કરી હતી. નમલીબેનના લગ્ન એક વર્ષ પહેલા ફુલહાર કરીને નેવરસિંગ સાથે કરવામાં આવ્યા હતાં. તે મુળ છોટાઉદેપુરની વતની હતી. આપઘાતનું કારણ જાણવા માળીયા મિંયાણા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:28 am IST)