Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

પોરબંદરમાં કોરોનાથી ૧ દર્દીનું મોતઃ નવા ૭ પોઝીટીવ કેસ

કોરાનાના પ દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઇ

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૨: કોરોનાની સારવાર દરમ્યાન એક પુરૂષ દર્દીનું મોત નીપજયું હતું. કોરોના પોઝીટીવના નવા ૭ કેસ આવ્યાં છે. જિલ્લામાં પ દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થઇ જતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ છે.

ગઇકાલે કોરોનાની સારવાર લઇ રહેલ એક પુરૂષ દર્દીનું મોત નીપજયું હતું. જયારે કોરોના શંકાસ્પદ ૧૦૦ કેસના સેમ્પલ લેવામાં આવેલ હતાં. જેમાં ૯૩ કેસના નેગેટીવ રીપોર્ટ આવેલ હતા. અને ૭ કેસના કોરોના  પોઝીટીવ રીપોર્ટ આવેલ હતાં. નવા ૭ પોઝીટીવ કેસ શીતલા ચોકમાં ૪૬ વર્ષનાં પુરૂષ, રાવલિયા પ્લોટમાં ૭૦ વર્ષના વૃધ્ધ, ઝુ ફળીયામાં ૬૦ વષનાં વૃધ્ધ, ઉપરાંત છાંયા, ઝુંડાળા, કુતિયાણા વિસ્તારમાંથી આવેલ છે.

(12:50 pm IST)