Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

વાંકાનેર : જૂનાગઢમાં શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા ખાતે ''શ્રી ચંદ્ર નવમી''ની ભકિતભાવ પૂર્વક ઉજવણી : ભંડારો, મહાપ્રસાદ, મહા આરતી

 ( હિતેશ રાચ્છ દ્વારા )વાકાંનેર : જૂનાગઢ મા ભવનાથ તળેટી મા ગિરનાર ની ગોદમા આવેલ શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા, પ્રાતઃ સ્મરણીય સદગુરૂશ્રી ભોલેબાબાજીના સમાધિ મંદિર ખાતે જ્યાં પૂજ્ય સંતશ્રી ભોલેબાબાજીની શુભ પ્રેરણાથી શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા મા ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂશ્રી ચદ્રં ભગવાન ની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામા આવેલ છે જ્યાં આજે ઉદાસીન આચાર્યદેવશ્રી ચંદ્ર ભગવાનની (૫૨૭ મી શ્રી ચંદ્ર નવમી )ની ઉજવણી ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે અખાડાના મહંત શ્રી ગંગાદાસજી મહારાજની પાવન નિશ્રામા ઉજવણી સદગુરૂદેવ શ્રી ભોલેબાબાજીના સેવક સમુદાય દ્વારા કરવામાં આવેલ છે આજરોજ સવારે ૧૦:૩૦ વાગ્યે શ્રી ચંદ્ર ભગવાનશ્રીનું વિશેષ પૂજન અર્ચનવિધિ તેમજ અર્ચદાસ રાજકોટના પૂજ્ય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીના અનન્ય સેવક શ્રી દિનેશભાઇ પેઢડિયા તથા પેઢડિયા પરિવાર તેમજ સંત શ્રી ભોલેબાબાજીના ભકતજનોએ કરેલ હતું ત્યારબાદ ઢોલ, નગારા સાથે સવારે ૧૧ વાગ્યે શ્રી ચદ્રં ભગવાન તેમજ પૂજ્ય ભોલેબાબાજીની મહા આરતી કરવામાં આવેલ હતી ત્યારબાદ સવારે ૧૧:૧૫ કલાકે ભવ્ય દિવ્ય ''ભંડારો'' યોજાયેલ જે ભંડારા નો મહા પ્રસાદ ગિરનાર તળેટી ના સંતો તેમજ સંતો, મહંતોએ લીધેલ હતો તેમજ ભાવિક ભકતજનોએ દર્શન, સંતસંગ તેમજ મહાપ્રસાદનો લાભ લીધેલ હતો. નવાગઢમા ભવનાથ તળેટી મા આવેલ શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડામાં આજે શ્રી ચંદ્ર નવમી નિમિતે શ્રી ચંદ્ર ભગવાનનું પૂજન કરતા શ્રી દિનેશભાઇ પેઢડિયા તથા પૂજ્ય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજી ની મૂર્તિ ના દર્શન તથા દિવ્ય ભંડારાનો મહા પ્રસાદ લેતા સાધુ, સંતો નજરે પડે છે. (તસ્વીર : હિતેશ રાચ્છ, વાંકાનેર) 

(12:05 pm IST)