Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

કોડીનારના સીઆરપીએફના જવાનના પાર્થિવદેહને કાલે વતનમાં લવાશે : પરિવાર ની જાણ બહાર અંતિમવિધિ કરાયોનો રાજપૂત સમાજ અને કરણી સેના દ્વારા આક્ષેપ

કોડીનાર : કોડીનારના સીઆરપીએફના જવાનનો પાર્થિવદેહને કાલે વતનમાં લવાશે.પરિવાર ની જાણ બહાર અંતિમવિધિ  કરાયોનો રાજપૂત સમાજ અને કરણી સેના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

            મૂળ કોડીનાર ના વતની અને બિહારમાં સીઆરપીએફ કોબરા કમાન્ડો તરીકે ફરજ બજાવી રહેલા અજીતસિંહ જગુભાઈ પરમાર પોતાના વતન આવી રહ્યા હતા ત્યારે રેલવેના ટ્રેક ઉપરથી તેમનો મૃતદેહ મળ્યો હતો જ્યારે તેમનો સામાન મુંબઈ રેલવે સ્ટેશનો પરથી મળ્યો હતો.

              ત્યાર બાદ મૃતદેહની અંતિમ વિધિ કરી દેવામાં આવી હતી જેના કારણે રાજ્યમાં કરણી સેના અને રાજપૂત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને શા માટે પરિવારની જાણ બહાર આવું કરવામાં આવ્યું ? તેમ કહીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે અને પરિવારને ન્યાય આપવા માંગણી થઈ રહી છે.

              અજીતસિંહ પરમાર ના મૃતદેહને બહાર કાઢી ને તેમના વતનમાં સન્માન સાથે અંતિમવિધિ કરવા માટે કાલે બુધવારે લાવવામાં આવશે.

             અજીતસિંહ પરમાર ના મૃત્યુ ના કારણો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે જોકે તેમના મોતનુ કારણ હજુ અકબંધ છે.

(8:43 pm IST)