Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

મોરબી જીલ્લામાં આજે પણ કોરોના કહેર : નવા ૨૧ કેસ નોંધાયા છે જયારે વધુ ૧૪ દર્દીઓ ડીસ્ચાર્જ

મોરબી : મોરબી જીલ્લામાં આજે પણ કોરોના કહેર જોવા મળ્યો હતો અને નવા ૨૧ કેસ નોંધાયા છે જયારે વધુ ૧૪ દર્દીઓ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે

        મોરબી જીલ્લામાં આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૮ કેસોમાં ૧૧ ગ્રામ્ય અને ૦૭ શહેરી વિસ્તારમાં, વાંકાનેરનો ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં, હળવદ અને માળિયાના ૧-૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને કુલ ૨૧ કેસો નોંધાયા છે તો આજે વધુ ૧૪ દર્દીઓ સ્વસ્થ થયા છે

        નવા ૨૧ કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૨૦૨૫ થયો છે જેમાં 184 એક્ટીવ કેસ છે તો અત્યાર સુધીમાં ૧૭૨૫ દર્દીઓ સ્વસ્થ થયા છે

 

 

(12:32 pm IST)