Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

સુરેન્દ્રનગરના કોઠારીયા પાસે ડ્રાઇવરને ઝોકુ આવી જતા કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઇઃ લખતરના પ્રજાપતિ કુંભાર પરિવારના માતા-પતિ-પત્નિ અને પુત્રીના મોત : પુત્ર ગંભીર

(ફલઝ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૮ : સુરેન્દ્રનગરના લખતર રોડ ઉપર કોઠારીયાના પાટીયા નજીક કાર ચાલકને ઝોકુ આવી જતાં સર્જાયેલ અકસ્માતમાં લખતરના કુંભાર-પ્રજાપતિ પરિવારના ૪ના મોત થયા છે. જયારે એક વ્યકિતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલ છે.

પ્રા માહિતી મુજબ લખતરના ઉગમણા દરવાજા બહાર રહેતા કુંભાર પ્રજાપતિ પરિવારના એક જ ઘરના પાંચ સભ્યો ભગુડા  મોગલધામ દર્શન કરીને પરત ફરી રહ્ના હતાં ત્યારે કારચાલકને ઝોડુ આવી જતાં કાર ધડાકાભેર વૃક્ષ સાથે અથડાઇ હતી. જેમાં ૪ વ્યકિતના ઘટના સ્થળે મોત થયા હતાં. જયારે એકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલ છે.

આ અકસ્માતમાં લલીતાબેન બાબુભાઇ લખતરીયા (ઉ.વ.૬પ), નવીનભાઇ બાબુભાઇ લખતરીયા (ઉ.વ.૪પ), વર્ષાબેન નવીનભાઇ લખતરીયા (ઉ.વ.૪૩) અને જાનુબેન નવીનભાઇ લખતરીયા (ઉ.વ.૧૭)ના ઘટના સ્થળે મોત થયા હતાં જયારે રવિભાઇ નવીનભાઇ લખતરીયા (ઉ.વ.રર)ને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલ છે.

આ અકસ્માતમાં કારમાં મૃતદેહ ફસાઇ જતાં કારના પતરા ચીરીને મૃતદેહોને બહાર કાઢીને વઢવાણ-સુરેન્દ્રનગર પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતાં.

આ બનાવ અંગે વધુ તપાસ વઢવાણ-લખતરના પોલીસ અધિકારીશ્રી ચુડાસમા તપાસ ચલાવી રહ્ના છે.

દિવાળી પર્વમાં અકસ્માતમાં એક જ પરિવારના ૪ વ્યકિતના મોતથી પ્રજાપતિ સમાજમાં અરેરાટી વ્યાપી ગઇ છે.(૮.પ)

(9:43 am IST)