Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

હળવદમાં સાવકી માતાએ જ બાળકને કેનાલમાં ફેંકી દીધો

૧૨ દિ' પહેલા ગુમ થયેલો મૃતદેહ મળતા તપાસનો ધમધમાટ

(દીપક જાની દ્વારા) હળવદ તા. ૧૯ : શહેરના મોરબી ચોકડી પર આવેલ વિશાલ પેકેજીંગ નામના કારખાનામાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા જયેશભાઈ પ્રજાપતિનો દસ વર્ષનો પુત્ર ધ્રુવ ઉર્ફે કાનો તારીખ ૬ ના રોજ થતા પોલીસે પ્રથમ તો નોંધ કર્યા બાદ બાળકનુ અપહરણ થયું હોવાની ફરિયાદ પણ નોંધી હતી પરંતુ આ બનાવમાં પોલીસને તેની સાવકી માતાની ભૂમિકા શંકાસ્પદ લાગતા પોલીસે જે તે સમયે સાવકી માતાને રાઉન્ડઅપ કરી પૂછપરછ હાથ ધરી હતી જેમાં આ બાળકને તેની સાવકી માતાએ જ ધાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલમાં ફેંકી દીધો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપતા પોલીસ દ્વારા સ્થાનિક તરવૈયાઓની મદદથી પ્રથમ તો ધ્રાંગધ્રાની નર્મદા કેનાલ બંધ કરાવી તેમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને આખરે ૧૨ દિવસના અંતે બાળકની લાશ કેનાલમાંથી મળી આવી.વિગતો મુજબ જયેશભાઈ પ્રજાપતિને સંતાનમાં બે પુત્ર હોય જેમાં એક મોટો ધ્રુવ ઉર્ફે કાનો તારીખ ૬ ના રોજ ગુમ થયો હતો પોલીસ દ્વારા પણ  આ બનાવમાં ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. તેવામાં સાવકી માતાની પુછપરછ હાથ ધરવામાં આવી હતી અને આખરે બાળકની સાવકી માતાએ પોતાનું પાપ કબૂલ્યું હતું અને આ બાળકને કંસારી હનુમાનજી પાછળથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલમાં ધક્કો મારી નાખી દીધો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા હાલ તો બાળકની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે.

(10:56 am IST)