Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ધોરાજી રાજપુત કરણીસેના દ્વારા આવેદન

 ધોરાજી : રાજપુત કરણી સેના દ્વારા લવજેહાદના કાયદો બનાવવા માટે ડે.કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ. જેમાં લવજેહાલનો કાયદો લાવવા માટે બુલંદ માંગણી કરી હતી. આ તકે કરણીસેના પ્રમુખ પ્રતાપસિંહ ચુડાસમા તેમજ યુવા સંઘના પ્રદેશમંડળ જયદેવસિંહ ગોહિલ, જનકસિંહ જાડેજા, નાનીમારડના સરપંચ ઋતુરાજસિંહ, હરદિપસિંહ રાયજાદા, હરસુરભાઇ કાઠી, મનીશભાઇ, જાનીભાઇ સહિતના લોકો હાજર રહેલ હતા. આ તકે કરણીસેના ધોરાજી પ્રમુખ પ્રતાપસિંહ ચુડાસમાએ જણાવેલ હતુ કે, લવજેહાદનો કાયદો આવે તેવી માંગણી કરેલ હતી તે તસ્વીર.(તસ્વીર : ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી)

(11:55 am IST)