Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

પ્રભાસપાટણઃ બંદરોના પ્રશ્ને મુખ્યમંત્રીને રજૂઆત

પ્રભાસપાટણઃ વેરાવળથી જાફરાબાદ સુધીનાં નાના-મોટા બંદરોનાં પ્રશ્નો બાબતે ગુજરાત કોળી માચ્છીમાર મહામંડળના પ્રમુખ જયંતિભાઇ સોલંકી અને સાંસદ રાજેશભાઇ ચૂડાસમાનાં અધ્યક્ષસ્થાને ગાંધીનગર મુકામે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, મંત્રી પરસોતમભાઇ સોલંકી, દિવ્યેશભાઇ સોલંકીને મળી અને વેરાવળથી જાફરાબાદ સુધીનાં તમામ બંદરોનાં પ્રશ્નો માટે રૂબરૂ મળી અને રજુઆત કરવામાં આવેલ. ભીડીયા સંયુકત કોળી સમાજનાં રમેશભાઇ બારૈયા, માજી પટેલ ધનજીભાઇ વૈશ્ય, ગુજરાત માચ્છીમાર મહામંડળનાં ઉપપ્રમુખ વશરામભાઇ સોલંકી, ઉપપ્રમુખ હમીરભાઇ સોલંકી (જાફરાબાદ) કોટડા બંદરનાં પટેલ બાબુભાઇ બારૈયા, માઢવાડ બંદરનાં પટેલ લખમણભાઇ સોલંકી, મહામંડળના મંત્રી કિશોરભાઇ સીકોતરીયા,સહ મંત્રી પ્રવિણભાઇ બારૈયા, કારોબારીનાં સભ્યો કાનજીભાઇ સીકોતરીયા પ્રકાશભાઇ સોલંકી, ચુનિભાઇ બારૈયા, જયંીતભાઇ સીકોતરીયા, તેમજ વેરાવળથી જાફરાબાદ સુધીનાં બંદરના આગેવાનોએ મુખ્યમંત્રી સહિતનાં અગ્રણીઓને મળી અને તેમનાં પ્રશ્નો રજુઆત કરેલ અને નિરાકરણ માટે માંગણી કરેલ તે તસ્વીર(તસ્વીરઃ દેવાભાઇ રાઠોડઃ પ્રભાસપાટણ)

(10:24 am IST)