Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત : કોરોનાથી એક વ્યક્તિનું મોત : નવા 37 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 26 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 18 કેસ,ગ્રામ્યમાં 3 કેસ,કેશોદમાં 6 કેસ,ભેસાણમાં 5 કેસ,માળિયા અને વિસાવદરમાં 2-2 કેસ,મેંદરડામાં એક કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે આજે કોરોનાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે આજે નવા 37 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 26 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

જૂનાગઢમાં આજે નોંધાયેલા 37 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 18 કેસ,ગ્રામ્યમાં 3 કેસ,કેશોદમાં 6 કેસ,ભેસાણમાં 5 કેસ,માળિયા અને વિસાવદરમાં 2-2 કેસ,મેંદરડામાં એક કેસ નોંધાયો છે

 

(9:25 pm IST)