Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ગોંડલના ગુંદાળા પાસે અકસ્માતમાં ર ના મોત

પ્રથમ નોરતે જ ગુંદાળા ચોકડીથી ગુંદાળા ગામ તરફ જવાના રસ્તે કારને અકસ્માત નડતા અરેરાટી

ગોંડલ ગુંદાળા ચોકડીથી ગુંદાળા ગામ તરફ હતાં મારૂતિ ફ્રન્ટી અકસ્માતમાં બેના મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ, તા. ૧૭ : ગોંડલના ગુંદાળા ગામ પાસે આજે સવારે અકસ્માત સર્જાતા બે વ્યકિતના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

આ અકસ્માતમાં ગોંડલના કપુરીયાપરા-૪ સ્ટેશન પ્લોટમાં રહેતા ઠાકર કશ્યપભાઇ અશોકભાઇ સહિત ર વ્યકિતના મોત નિપજયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ જુનાગઢ હાઇવે ઉપર અત્યારે વહેલી સવારે ૬-૩૦ આસપાસ ગોંડલ શહેરની બહાર ગુંદાળા ચોકડીથી ગુંદાળા ગામ તરફના રસ્તે મારૂતી ફ્રન્ટી જીજે-૩-એબી પ૪૬૧ને ભયંકર અકસ્માત નડયો છે.

તેમાં બેઠેલા ૪૦ અને ધોતિયું પહેરેલ ૬૦ વર્ષ આસપાસના બંને વ્યકિત સ્થળ પર જ કરૂણ મૃત્યુ નિપજેલ છે. નવરાત્રીના આજે પ્રથમ નોરતે જ ભયાનક અકસ્માત થતાં હાહાકાર મચી ગયો છે. પાછળની સીટ ઉપર પૂજાપો જોવા મળે છે એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી છે.

(11:38 am IST)