Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ગિરનાર અંબાજી મંદિરના દર્શને પૂ.મોરારીબાપુ

જુનાગઢઃ ગિરનારની ટોચ પર બિરાજમાન જગતજનની માં અંબાજી મંદિર ખાતે રામાયણી વિશ્વ વંદનીય સંત-કથાકાર પૂજય શ્રી મોરારીબાપુ એ પોથી પધરાવીને માતાજીને પ્રાર્થના કરી હતી. આ તકે મંદિરના શ્રી મંહતશ્રી મોટાપીરબાવા શ્રી તનસુખગીરીબાપુએ પોથીનુ પુજન કરી આશીર્વાદ આપીને માતાજીની પ્રસાદ રૂપે ચુંદડી અર્ર્પણ કરી હતી. પુજય મોરારીબાપુની ૮૪૯ની રામકથા જે શ્રોતા વગરની છે તે કમડંલકુંડ ખાતે પ્રથમ નવરાત્રી થી શરૂ થઈ રહી છે  આ તકે યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ડાયરેકટર  યોગેન્દ્રસિંહ પઢિયાર, કથાના આયોજક  જેન્તીભાઈ ચાંદ્રા, શ્રી દાદુભાઈ કનારા,  જગદીશભાઈ હદવાણી,હિરેન રૂપારેલીયા સહિતના લોકો હાજર હતા, સહુએ પોથી માથા પર લઈને ધન્યતા અનુભવી હતી અને મંદિર પરિસરના સહુ પુજારીઓ એ રૂડા આશિઁવાદ આપ્યા હતા.(અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલાઃ જુનાગઢ)

(1:29 pm IST)