Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

જુનાગઢનાં દોલતપરાની દોઢ માસની બાળકીનું પોલીયો રસી બાદ કોઇ અસરથી મૃત્યુ

ખામધ્રોળના યુવાનનું ઝેરી દવા પીતા મોત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૧: જુનાગઢનાં દોલપપરાની દોઢ માસની બાળકીનું પોલીયો રસીનું ઇંજેકશન આપતા કોઇ અસર થવાથી મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

જુનાગઢ નજીકનાં દોલતપરા ખાતે રહેતા જયદિપ કિશોરભાઇ મકવાણાની દોઢ માસની દિકરી વિશ્વાને પોલીયોની રસીનું ઇંજેકશન આપવામાં આવેલ પરંતુ આ પછી કોઇપણ અસર થતા ગત રાત્રે વિશ્વાનું મૃત્યુ નિપજતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પી.એસ.આઇ. વી. આર. ચાવડા ચલાવી રહ્યા છે.

મોત

જુનાગઢ તાલુકાનાં ખામધ્રોળ ખાતે એકલા રહેતા પંકજભાઇ મનસુખભાઇ સીરોયા (ઉ.વ. ૪૦) નું ગત રાત્રે કોઇ કારણસર ઝેરી દવા પીવાથી મોત થતાં એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:57 am IST)