Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

મોરબી જિલ્લા આરોગ્‍ય વિભાગના કર્મી અને સેવાભાવી જગદીશભાઇનું નિધન

મોરબીઃ જીલ્લા આરોગ્‍ય પરિવારના ખંતીલા, કર્મનિષ્ઠ એવા જગદીશભાઈ કૈલા રાષ્ટ્રસેવા કરતા કોરોના સામે યુદ્ધમાં પોતાનું યોગદાન આપી રહ્યા હતા જેની ઓચિંતી વિદાયથી સમગ્ર જીલ્લાના આરોગ્‍ય પરિવારમાં શોકનું મોજું ફરી વળ્‍યું છે.

 મોરબી જીલ્લાના આરોગ્‍ય વિભાગમાં કાર્યરત જગદીશભાઈ કૈલા હાલ લાલપર ખાતે ફરજ બજાવતા હતા સરકારની આરોગ્‍યલક્ષી યોજનાઓ અને કાર્યક્રમો લોકો સુધી પહોંચાડનાર અને હાલ કોરોના મહામારીના સમયમાં કોરોના સામે યુદ્ધ લડતા જગદીશભાઈએ ઓચિંતી વિદાય લીધી છે ત્‍યારે મોરબી જીલ્લા પંચાયતના આરોગ્‍ય શાખાના તમામ કર્મચારીઓ શોકની લાગણી અનુભવે છે.

(11:23 am IST)