Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

જુનાગઢ સ્વામિનારાયણ સંસ્થાનના મંદિરો ભકતોને દર્શન માટે બંધ રહેશે

હજુ ભકતોને ઓનલાઇન સોશ્યલ મીડીયા થકી દર્શનની અપીલ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ર૧ :  જુનાગઢ ટેમ્પર બોર્ડ તથા વડીલ સંતો હરિભકતો તેમજ નિષ્ણાંત વ્યકિતઓ સાથે કરેલ ચર્ચા વિચારણાને અંતે હજુ જુનાગઢ સ્વામિનારાયણ સંસ્થાના મંદિરો કોરોના મહામારીને કારણે ભકતો માટે દર્શન કરવા ખોલી શકાશે નહી.

જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના કોઠારી પી.પી. સ્વામીએ ભકતોને ઓનલાઇન તેમજ સોશ્યલ મીડીયા દ્વારાજ દર્શન કરવા અપીલ કરેલ છે.

વધુમાં ફરી કોઇ નવો નિર્ણય ન લેવાય ત્યાં સુધી ભકતો માટે દર્શન બંધ રહેશે તેમ અંતમાં જણાવેલ છે.

(1:13 pm IST)