Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

મોરબી માળિયાના ખાખરેચીમાં સ્વૈચ્છિક લોકડાઉન : બપોર સુધી દુકાનો ખુલ્લી રહેશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૧ :  માળિયા તાલુકાના ખાખરેચી ગામમાં તા. ૨૫ સપ્ટેમ્બર સુધી લોકડાઉન જાહેર કરાયું છે જેમાં ગ્રામ પંચાયતે ગ્રામજનોને કેટલાક નિયમોનું પાલન કરવા જણાવ્યું છે જે લોક ડાઉનના નિયમોમાં ખાખરેચી ગામમાં દુકાનનો સમય સવારે ૮ થી બપોરે ૧ સુધીનો રહેશે દુકાને માત્ર ૩ વ્યકિતઓ હાજર રહી શકશે અને સામાજિક અંતર જાળવવાનું રહેશે દુકાન બહાર કામ સિવાય બેસવું નહિ અને તેની જવાબદારી દુકાનદારની રહેશે સાથે જ માસ્ક પહેરવું ફરજીયાત રહેશે.સાથે જ દુકાનદારોએ સેનેટાઈઝર રાખવું ફરજીયાત છે દુકાનદાર અને ગ્રાહકે હાથ સેનેટાઈઝ કરવા જણાવ્યું છે તમામ ગ્રામજનોએ સ્વૈચ્છિક લોકડાઉનમાં સહયોગ આપવા ગ્રામ પંચાયતે અનુરોધ કર્યો છે.

(1:24 pm IST)