Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ભાવનગરમાં આજે કોરોનાથી બે લોકોના મોત : નવા 38 પોઝીટીવ કેસ નોંધાયા

શહેરમાં વધુ 27 કેસ અને 2 લોકોના મોત:ગ્રામ્યમાં 11કેસ: કુલ કેસનો આંકડો 3824 થયો : મૃત્યુઆંક 62

ભાવનગર : ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત છે આજે કોરોનાથી બે લોકોના મોત નિપજ્યા છે અને  નવા 38 પોઝીટીવ કેસ નોંધાયા છે 

  કોરોનાના નવા નોંધાયેલા 38 પોઝિટિવ કેસમાં ભાવનગર શહેરમાં વધુ 27 કેસ નોંધાયા છે અને 2 લોકોના મોત થયા છે જયારે ગ્રામ્યમાં 11કેસ નોંધાયા છે આ સાથે જિલ્લાનો કોરોનાના કુલ કેસનો આંકડો 3824 થયો છે જયારે મૃત્યુઆંક 62 થયો છે

(9:27 pm IST)