Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

ગીરનાર દર્શન માટે આવતા યાત્રિકો માટે ત્રિકમદાસજી અન્નક્ષેત્ર

જુનાગઢ : શ્રી ભગવતગુરૂ આશ્રમ, સુર્યમંદિર, દ્વારા સંચાલિત 'સદગુરૂશ્રી ત્રિકમદાસજીબાપુ અન્નક્ષેત્ર' ભવનાથ દ્વારા ભાઇબીજ થી તા.૩૦ કાર્તિક પૂર્ણિમા સુધી ભવનાથ અને ગિરનાર દર્શન-યાત્રા માટે આવનાર ર્સ્વે ધર્મપ્રેમી યાત્રીઓ માટે અન્નક્ષેત્ર પ્રારંભ કરવામાં આવ્યું છે. અગાઉ પણ કોરોના મહામારીના કારણે લોકડાઉનની પરિસ્થિતિ હતી તેવા સમયે પૂજ્ય બાપુ અને તેમના સેવાભાવી સેવકો મારફતે હજારો લોકો સુધી ''શ્રી અન્નક્ષેત્ર રથ'' મારફતે ભોજન પહોંચાડવાનું ભગીરથ અને સાધુકાર્ય કર્યુ હતું. અન્નક્ષેત્ર તથા જગુબાપુની તસ્વીર.

(11:39 am IST)