Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

અમરેલીના પૂર્વ સાંસદ દિલીપ સંઘાણીનો કોરોના ટેસ્ટ નેગેટીવ

સમાજના દરેક પરિવારને વિના સંકોચે ટેસ્ટ કરાવવા અપીલ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૨: કોરોના મહામારીને ફેલાતી અટકાવવા સમાજ જાગૃતિ લાવવા પૂર્વ કેબીનેટ મંત્રી અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ અપીલ કરી છે. સંઘાણીએ જણાવેલ છે કે, મે પણ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. જેમાં હું નેગેટીવ આવ્યો છું સૌ સમાજ પણ જાગૃત બની કોરોના ટેસ્ટ કરાવવા આગળ આવે જેથી સમગ્ર પરિવાર અને સમાજ આ મહામારીથી સુરક્ષિત રહે.

કોરોના ટેસ્ટ માટે ડરવાની બીલકુલ જરૂર નથી. સમયસર કોરોના ટેસ્ટ કરાવવાથી બીમારીને શરીરમાં પ્રવેશતી અટકાવી શકાય. ચેપ અન્યત્ર ન ફેલાય. કોરોના ટેસ્ટ જેટલો જ મો પર માસ્ક પહેરવું જરૂરી છે. આ બંને માટે સામાજીક જાગૃતિ ખૂબ જ જરૂરી હોવાનું કોરોના ટેસ્ટની અપીલ વેળા દિલીપ સંઘાણીએ જણાવ્યું હોવાનું યાદીમાં જણાવાયેલ છે.

(12:48 pm IST)