Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

પોરબંદર યાર્ડવાળા બિસ્માર રોડ પ્રશ્ને આવેદન

 પોરબંદર : પોરબંદર  જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા તેમજ તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા રમદેવભાઈ મોઢવાડિયા  તથા કોંગ્રેસ આગેવાનો દ્વારા કડિયાપ્લોટ વિસ્તારના મોફતિયા પરથી ખોડીયાર મંદિર થઇને માર્કેટિંગ યાર્ડ ને જોડતો રસ્તો હાલ છેલ્લા ૩ મહિના થી ભયંકર રીતે તૂટી ગયેલો હોય અને રોડ ની અંદર દોઢ દોઢ ફૂટ ના ખાડા પડી ગયેલા હોય ત્યારે આ વિસ્તાર ના રહિસો તેમજ યાર્ડના લોકો અવરજવર કરતા માણસો ને પડતી હાલાકી તેમજ માણસોને ગંભીર ઇજાઓ થયેલ હોય છતાં પણ જવાબદારએ કયારેય ધ્યાન આપેલું ન હોય તેથી સતાવાળાઓને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. રજૂઆત સમયે  સુરેશભાઈ થાનકી,એન.એસ.યુ.આઇ ના પ્રમુખ કિશનભાઇ રાઠોડ,રમેશભાઈ વિંઝુડા અને  કોંગ્રેસ આગેવાનો સાથે રહ્યા હતા.આવેદનપત્ર પાઠવ્યું તે તસ્વીર.

(11:31 am IST)