Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

સાવરકુંડલા નાગરિક સહ. બેંકના બે કર્મચારીઓને નિવૃતિ વિદાયમાન અપાયું

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. રર : સાવરકુંડલા નાગરિક સહકારી બેન્ક લી. સાવરકુંડલામાં બે કર્મચારીઓ નિવૃત થતાં બેન્કના ચેરમેન અશ્વિનભાઇ ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને વિદાય સમારંભ યોજાયેલ. આ તકે માજી સાંસદ નવીનચંદ્રભાઇ રવાણી, ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાત, બેન્કના ઉપપ્રમુખ રમેશભાઇ જયાણી, મેનેજીંગ ડીરેકટરશ્રી હસુભાઇ સુચક તથા બોર્ડ ઓફ ડીરેકટર્સના સભ્યશ્રીઓ, માર્ગદર્શકશ્રીઓ તથા આમંત્રીત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં. ચેરમેન દ્વારા નિવૃત થતા કર્મચારીઓને પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી. બેન્ક દ્વારા શરૂ કરાયેલી આધુનિક સુવિધા જેવી કે સીટીએસ ચેક કલીયરીંગ, આરટીજીએસ વગેરે તેમજ ઝડપી સરળ ધિરાણ અને બેન્કની સર્વિસ આપતી સહકારી બેન્ક હરહંમેશ સાવરકુંડલાના નાના-મોટા વેપારીઓને સેવા આપવા તત્પર હોવાનું જણાવેલ હતું. નિવૃત થતા કર્મચારી રાજુભાઇ દવે તથા જયસુખભાઇ કામદારને સ્મૃતિભેટ તથા પુષ્પગુચ્છ આપીને પધારેલા મહેમાનો તથા બોર્ડ ઓફ ડાયરેકટર્સ અને સ્ટાફ મિત્રોએ એમનું આગામી જીવન નિરોગી સુખી-સંપન્ન, આનંદીત પસાર કરે તેવી શુભેચ્છાઓ પાઠવેલ હતી. સમારંભને સફળ બનાવવા બોર્ડ ઓફ ડાયરેકટર્સના માર્ગદર્શન મુજબ બેન્કના મેનેજરશ્રી ઓફીસરશ્રીઓ તથા તમામ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવેલ હતી.

(1:01 pm IST)