Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ઓખા કોસગાર્ડ દ્વારા વિશેષ ક્રિયા પ્રતિક્રિયા કાર્યક્રમ સંપન્ન

 (ભરત બારાઇ દ્વારા) ઓખા અહિના ભારતીય કોસગાર્ડ હેડ કવાટર્સના જવાનો દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ માચ્છીમારો માટેનો અવરનેશ કાર્યક્રમ માચ્છીમારી બંદર ખાતે રાખવામાં આવેલ જેમાં માચ્છીમારને માચ્છીમારી કરવા જતા પહેલા સાવચેતી રૂપે તમામ ખલાસીના ઓળખ કાર્ડ, પાસ, બોટના રજીસ્ટ્રેશન, વી.એચ.એફ.સીસ્ટમ જેવા અગત્યના સાધનો ચેક કરવા તથા સેફટી જાકેટનો ઉપયોગ કઇ રીતે કરવો જેવી વીવીધ બાબતો સમજાવામાં આવી હતી. તથા સંકટ સમયે તુરત કોસગાર્ડ સ્ટેશનનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો તે પ્રસંગની તસ્વીર

(9:52 am IST)