Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

સુરેન્દ્રનગર મર્ડર કેસના વોન્ટેડ આરોપી જોરાવરનગરથી ઝડપાયો

સુરેન્દ્રનગર, તા., ર૩: જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાની કડક સુચનાને પગલે ભારે ગુન્હાના આરોપી પેરોલ પર છુટયા પછી હાજર ન થતા ઝડપી લેવા સુચના આપી હતી.

જીલ્લા પોલીસ વડાની સુચનાને પગલે એલસીબીના પીએસઆઇ ઢોલ, વી.આર.જાડેજા તથા સ્ટાફના માણસોની ટીમ બનાવી સુરેન્દ્રનગરના મર્ડર કેસના આરોપીએ નામદાર ગુજરાત હાઇકોર્ટમાંથી દિવસના પેરોલ પર છુટી ફરી જેલમાં હાજર નહી થતા સદરહું આરોપી રફીક ઉર્ફે હાજી યુનુસભાઇ મોહન સુરેન્દ્રનગર બી ડીવીઝનના પ્રોહીબીશનના ગુન્હામાં પણ ભાગેડુ હોય પુર્વ બાતમીને આધારે મજકુર આરોપીને જોરાવરનગર બાયપાસ પાસેથી પકડી લેવામાં આવેલ છે.

એલસીબી ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલ સાહેબ તથા પો.સ.ઇ. શ્રી વી.આર.જાડેજા તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા વાજસુરભા લાભુભા તથા ઋતુરાજસિંહ નારસંગભા તથા પો.હેડ. કોન્સ જુવાનસિંહ મનુભા તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા હીતેષભાઇ જેસીંગભાઇ તથા અમરકુમાર કનુભા તથા પો.કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા અજયસિંહ વિજયસિંહ તથા અનિરૂધ્ધસિંહ અભેસંગભા તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા અશ્વીનભાઇ ઠારણભાઇ તથા અનિરૂધ્ધસિંહ ભરતસિંહએ બજાવી હતી.

(11:37 am IST)