Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

જુનાગઢમાં ભાજપના કોરોના સંક્રમતી સદસ્યો માટે યજ્ઞ-જાપ- યોજાયા

જુનાગઢ : જુનાગઢ ખાતે આવેલ ગીરનારના ૩૦ પગથીયે શ્રી દત મંદિર ખાતે સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજ દ્વારા હાલ રાજયના સાંસદ, વિદ્વાન ધારાશાસ્ત્રી અને બ્રહ્મ સમાજના અગ્રણી અભયભાઇ ભારદ્વાજ, પૂર્વ મેયર આદ્યશકિતબેન મજબુદાર, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન રાજકોટ કશ્યપભાઇ શુકલ તથા સમગ્ર રાજયના નાગરીકો કોરોનાં સંક્રમીત થયા હોઇ, આ સર્વે લોકો જલ્દી સાજા થાય અને સુસ્વાસ્થ્ય મેળવી પ્રજા સેવામાં પુનઃ કાર્યરત થાય તેવા શુભ હેતુથી પ્રમુખ છેલભાઇ જોષી તથા સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ મહાનગરના અગ્રણીઓ દ્વારા મહામૃત્યુંજય મંત્ર જાપ અને રૂદ્રાભિષેક કરી શીવ ભગવાનને કોરોના મહામારીમાંથી રાજયના લોકોને રાહત મળે તથા સર્વજન સુસ્વાસ્થ્ય જલ્દી પ્રસરે તેવા શુભહેતુથી એક બહુજનહિતાય કાર્યક્રમ યોજાયેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર મુકેશ વાઘેલા)

(12:49 pm IST)