Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

લોહાણા મહાજન વાડીનું નિર્માણ કરવા મીટીંગ મળી

ભાટીયા તા.૨૩ : કલ્યાણપુરમાં વર્ષોથી બનેલ લોહાણા મહાજન વાડી હાલમાં સાવ જર્જરીત હાલતમાં હોય સમાજવાડીનુ નવું નિર્માણ બનાવવા માટે લોહાણા મહાજન વાડી હોલમાં કલ્યાણપુરના તમામ લોહાણા સમાજના વડીલો, આગેવાનો, સેવાભાવી ભાઇઓ અને યુવાનોની એક મિટીંગ બારાડી લોહાણા મહાજનના પ્રમુખ દ્વારકાદાસભાઇ કેશુભાઇ રાયચુરા (મોટાભાઇ)ના અધ્યક્ષસ્થાને મળી હતી.

જેમાં લોહાણા મહાજનવાડીનુ નિરીક્ષણ કરી અને જરૂરી નવ નિર્માણ અંગે ચર્ચા કરાઇ હતી. હાલની સમાજની વસ્તી મુજબ સમાજ વાડીમાં કઇ જરૂરીયાતો છે તે અંગે જ્ઞાતિ ભાઇઓના મંતવ્યો લેવાયા હતા અને માપસાઇઝ એસ્ટીમેન્ટ કાઢવામાં આવેલ અને આગામી દિવસો કઇ રીતે વાડીનું નવનિર્માણ કરવુ તે બાબતે ચર્ચાઓ કરાઇ હતી.

(10:57 am IST)