Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

જેતપુરના સરધારપુરમાં જયંતિ બગડાએ દોરીથી પોતાના પગ બાંધી કૂવામાં ઝંપલાવી જીવ દીધો

પત્નિ રિસામણે જતાં માઠુ લાગવાથી પગલુ ભર્યાનું પોલીસનું પ્રાથમિક તારણ

રાજકોટ તા. ૨૩: જેતપુરના સરધારપુર ગામે રહેતાં જયંતિ માધાભાઇ બગડા (ઉ.વ.૨૫) નામના યુવાને પોતાની વાડીએ જઇ પોતાના પગ દોરીથી બાંધી કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

ગઇકાલે જયંતિ વાડીએ ગયો હતો અને બપોર સુધી કામ કર્યુ હતું. એ પછી તે અચાનક ગૂમ થઇ જતાં બધાએ શોધખોળ  શરૂ કરી હતી. એ દરમિયાન જયંતિની લાશ કુવામાંથી મળી આવી હતી. તેના પગ બાંધેલા હોઇ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહ રાજકોટ ખસેડાયો છે. જેતપુર તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ જયંતિ પરિણીત હતો. અને બે ભાઇ તથા એક બહેનમાં નાનો હતો. તેના લગ્ન થઇ ગયા હતાં. પત્નિનું નામ દિવ્યા છે અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. પત્નિ હાલ માવતરે જતી રહી હોઇ તેના કારણે માઠુ લાગતાં જયંતિએ કૂવો પુર્યો હોવાની શકયતા છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પોલીસે તપાસ યથાવત રાખી છે.

(12:53 pm IST)