Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

જુનાગઢમાં એક જ સોસાયટી બે દિવસમાં બીજી વાર નિશાન બનાવતા તકસ્કરો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.ર૩ : જુનાગઢમાં એકજ સોસાયટીને બે દિવસમાં બીજી વાર નિશાન બનાવી તસ્કરોએ તરખાટ મચાવ્યો હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢ શહેર રેઢુ પડ હોય તેમ બે દિવસ અગાઉ બસ સ્ટેન્ડ પાસે આવેલ નહેરૂ પાર્ક સોસાયટીમાં મકાન ધરાવતા એક વિપ્ર પરિવારને ત્યાં રાત્રીના તસ્કરો ખાબકયા હતા.

આ બંધ મકાનના છ તાળા તોડીને તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો તેમ છતાં કંઇ પણ હાથ ન લાગતા તસ્કરો પાણીની લાઇનને નુકશાન પહોંચાડી અને કુદરતી હાજત કરીને નાસી ગયા હતા.

આ ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં બુધવારની રાત્રે બે વાગ્યાની આસપાસ તસ્વરોએ ફરી ખાબકી એ જ વિપ્ર પરિવારના મકાનને નિશાન બનાવ્યું હતું.

પરંતુ મકાન નજીકની એક હોસ્પિટલમાંથી દર્દીના સગા એક મહિલા તસ્કરોને જોઇ જતા તેણીએ બુમાબુમ કરતા ૪ તસ્કરો ઇલે.પંખા સહિતનો ચોરાઉ મુદામાલ ફેંકીને નાસી ગયા હતા. આ વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

(3:04 pm IST)