Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

વાંકાનેર શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના મહંત કાનજીભાઇ (પટેલબાપુ)નો દેહવિલય

અંતિમ યાત્રામાં ભાવિકો દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ

પ્રથમ તસ્વીરમાં પટેલબાપુનો પાર્થિવ દેહ, બીજી તસ્વીરમાં અંતિમયાત્રા, ત્રીજી અને ચોથી તસ્વીરમાં સંતો સાથેના પટેલબાપુના ફાઇલ ફોટા. (તસ્વીર : હિતેષ રાચ્છ -વાંકાનેર)

વાંકાનેર તા. ર૩ :.. વાંકાનેરમાં જડેશ્વર  રોડ ઉપર આવેલ વર્ષો પુરાણી ઐતાસીક પૂ. મુનીબાવાની જગ્યા શ્રી ફળેશ્વર મંદિરના મહંત વાંકાનેર પાટીદાર સમાજના કારોબારી સભ્ય તેમજ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલ કાનજીભાઇ રામાભાઇ પટેલ (શ્રી પટેલબાપુ) તુષારભાઇ અને વિશાલભાઇના પિતાશ્રીનુ તા. રર ને રવિવારે અવસાન થયેલ છે. સદ્ગતની અંતિમયાત્રા  તેમના નિવાસ સ્થાન શ્રી ફળેશ્વર મંદિરની પાસેથી નિકળેલ હતી. જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ધાર્મિક સંસ્થાના મહંતશ્રી, સંતો, તેમજ પાટીદાર સમાજ, શ્રી ફળેશ્વર મંદિરના ભકતજનો જોડાયા હતાં. તેઓ થોડા દિવસોથી બિમાર હોવાથી રાજકોટ સારવારમાં હતાં.

શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરમાં જે કોઇ સાધુ-સંતો આવે તેમને પ્રેમથી આવકારી આપી જમાડતા, શ્રી પટેલબાપુ ના દેહ વીલયના સમાચાર સાંભળી શ્રી ફળેશ્વર મંદિરના ભકતજનોમાં શોકની લાગણી છવાઇ છે. સતત સીતારામ સહુને કહેતા તેમજ વાંકાનેર શહેરમાં કોઇપણ સેવા કાર્ય હોય તેમાં તેમની અચુક હાજરી રહેતી હતી. જેમના ગુરૂદેવ શ્રી રામકિશોરદાસજી બાપુનો જીવન મંત્ર હતો કે ભજન કરી ભોજન કરાવી જે મંત્ર અનુસાર શ્રી પટેલબાપુએ જીવનભર શ્રી ફળેશ્વર મંદિરમાં આ મંત્ર નિભાવ્યો છે, આજે તેમના દેહ વિલયથી એક મોટી ખોટ ફળેશ્વર મંદિરને પડેલ છે.

(11:38 am IST)