Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

મોરબીના ત્રાજપરમાં આર્થિક સંકડામણથી કંટાળી યુવાનનો આપઘાત

મોરબી,તા.૨૪ : ત્રાજપર ખારી વિસ્તારના રહેવાસી કેશરભાઈ ઉકાભાઈ ડાભી (ઉ.વ.૪૦) નામના યુવાને પોતાના દ્યરે ગળેફાંસો ખાઈ આપદ્યાત કર્યો છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાન એકલો રહેતો હતો અને મજુરી કરી ગુજરાન ચલાવતો હતો જોકે છેલ્લા દ્યણા સમયથી મજુરી કામ મળતું ના હોય અને આર્થિક સંકડામણથી કંટાળી જઈને તેને આપઘાત કર્યો છે બી ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

સાપર નજીક પાણીમાં ડૂબી જતા પરપ્રાંતીય આધેડનું મોત

 મૂળ એમપીના રહેવાસી રાજુભાઈ નાનકીયાભાઈ ખરાડી (ઉ.વ.૪૬) વાળા આધેડ નશો કરવાની આદત હોય અને ૨૪ કલાક નશામાં રહેતા હોય જે સાપર નજીક પાવડીયારી કેનાલ પાસે પાણીના ખાડામાં પડી જતા ડૂબી જતા મોત થયું છે તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

(12:45 pm IST)