Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

કમીશન એજન્ટો પલટવાર કરતાં ગોંડલ યાર્ડ ધમધમ્યુઃ બંધની કોઈ અસર નહી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૫: કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ કૃષિ અધ્યાદેશોનાં વિરોધમાં વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા વિરોધ વ્યકત કરી આજે તા.૨૫ નાં દેશ વ્યાપી હડતાલ નું એલાન અપાયું છે. જેમાં સૌરાષ્ટ્ર નું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાડઁ નહીં જોડાતાં સવાર થીજ ધમધમી રહયું હતું. હરરાજી સહીત ની કામગીરી પુર્વવત રહેવાં પામી હતી.

હડતાલ નાં એલાનને પહેલાં કમીશન એજન્ટ એસોસિએશન દ્વારા ટેકો જાહેર કરાયો હતો. પણ બાદમાં કૃષી અધ્યાદેશો વેપારીઓમાં લાભ માં હોવાનું જણાવી હડતાલ નો વિરોધ કરાતાં ગોંડલ યાડઁ માં હડતાલની કોઈ અસર થઇ નથી.

(11:46 am IST)