Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

જુનાગઢ મનપામાં લંચ બ્રેક બાદ સીનીયર અધિકારી સહિત ર૧ કર્મચારી ગેરહાજર

કમિશ્નર તુષાર સુમેરા દ્વારા સરપ્રાઇઝ ચેકીંગઃ તમામને નોટીસ ફટકારી ખુલાસો કરવા તાકીદ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. રપ : જુનાગઢ મનપામાં લંચ બ્રેક બાદ કમિશ્નર તુષાર સુમેરાએ સરપ્રાઇઝ ચેકીંગ કરતા સીનીયર અધિકારી સહિત ર૧ કર્મચારીઓ ગેરહાજર જણાતા તમામને નોટીસ ફટકારીને ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી છે.

જુનાગઢ મનપાના લંચબ્રેક બાદ કેટલાક અધિકારીઓ અને કર્મીઓ ગુગલી મારી જતા રહેતા હોવાનું ધ્યાન પર આવતા ગઇકાલે ઓચિંતા જ કમિશ્નર તુષાર સુમેરાએ મનપાની વિવિધ બ્રાંચની સરપ્રાઇઝ વિઝીટ કરી હતી.

બપોરના ર.૪પ થી ૩.૧પ દરમ્યાનની આ વિઝીટમાં સીનીયર શાખા અધિકારીઓ સહિત ર૧ કર્મચારીઓ બપોરના લંચ બ્રેક ગેરહાજર હોવાનું જણાવ્યું હતું.

કમિશ્નર તુષાર સુમેરાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે લંચ બ્રેક બાદ ગુટલી મારનાર સિનીયર અધિકારીઓ સહિત ર૧ કર્મચારીઓને નોટીસ ફટકારી દિવસ સાતમાં ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી છે.

શ્રી સુમેરાએ વધુમાં એમપણ જણાવેલ કે આ અધિકારીઓ-કર્મીઓ દ્વારા સંતોષજનક ખુલાસો કરવામાં નહિ આવે કોઇની પણ શેહ શરમ રાખ્યા વગર શિક્ષાત્મક પગલા લેવામાં આવશે.

(1:03 pm IST)